મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં શ્રીમદ રાજચંદ્ર આશ્રમ, ધરમપુર ખાતે ‘સામૂહિક ચિંતનથી સામૂહિક વિકાસ તરફ’ની થીમ સાથે આયોજિત
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં શ્રીમદ રાજચંદ્ર આશ્રમ, ધરમપુર ખાતે ‘સામૂહિક ચિંતનથી સામૂહિક વિકાસ તરફ’ની થીમ સાથે આયોજિત ત્રિ-દિવસીય 12મી ચિંતન શિબિર-2025નું સમાપન રાજ્યના મંત્રીશ્રીઓ, વરિષ્ઠ સચિવશ્રીઓ તેમજ સનદી અધિકારીશ્રીઓ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં થયું હતું. મુખ્યમંત્રીશ્રીએ ચિંતન શિબિરના સમાપન અવસરે જણાવ્યું હતું કે, માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપેલા વિકસિત ભારતના સંકલ્પમાં ગુજરાતને વિકસિત ગુજરાતથી અગ્રેસર રાખવા અર્નિંગ વેલ લીવિંગ વેલના મંત્ર સાથે આપણે જે રોડમેપ તૈયાર કર્યો છે, તેને થીન્કિંગ વેલ ડૂઇંગ વેલના ભાવથી આ ચિંતન શિબિર વૈચારિક ભાથું પૂરું પાડશે. તેમણે અધિકારીઓને સંપૂર્ણ સમર્પણ, જવાબદારી અને લોકહિતની પ્રતિબદ્ધતા સાથે ફરજ નિભાવવાનું જણાવતાં ઉમેર્યું હતું કે, આપણે જ્યાં હોઇએ ત્યાં આપણું શ્રેષ્ઠ કાર્યપ્રદાન આપીને રાજ્યના વિકાસમાં અને સામાન્ય માનવીના […]
